Jul 20 2007

સ્નેહનો આ તાર તૂટ્યો, શું કરું?

Published by ઊર્મિ at 3:26 pm under ગઝલ

urmi_wave2.jpg 
(ઊર્મિની ભરતી સાગરમાં…   9 જુલાઈ, 2006)

આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?
સ્નેહનો આ તાર તૂટ્યો, શું કરું?

એ હતો ડાળે બટકણી ઊર્મિની,
એષણાના ભારે ઝુક્યો, શું કરું?

અંતરે ભોંકાયો મારા મીતનાં,
એક કાંટા સમ હું ખૂંચ્યો, શું કરું?

લાગતો’તો જે અતૂટ ને જન્મોનો,
આજ જન્મે એ તો તૂટ્યો, શું કરું?

ઉર-વૈભવ દઇને કીધો માલદાર,
પણ પછી એણે જ લૂટ્યો, શું કરું?

ઊર્મિની ભરતીને જોઈ અંતરે,
ઉરનો માલિક જો રૂઠ્યો, શું કરું?

* * * 

ઊર્મિસાગર

*

 

18 Responses to “સ્નેહનો આ તાર તૂટ્યો, શું કરું?”

  1. [...] મારી આ આખી ગઝલ અહીં વાંચો.. [...]

  2. Jayshreeon 20 Jul 2007 at 5:34 pm

    સરસ ગઝલ…..

    લાગતો’તો જે અતૂટ ને જન્મોનો,
    આજ જન્મે એ તો તૂટ્યો, શું કરું?

    આ શેર સૌથી વધુ ગમ્યો…. !!

  3. chetuon 20 Jul 2007 at 5:37 pm

    આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?
    સ્નેહનો આ તાર તૂટ્યો, શું કરું?

    લાગતો’તો જે અતૂટ ને જન્મોનો,
    આજ જન્મે એ તો તૂટ્યો, શું કરું?

    એક્દમ સરસ્…! …અભિનંદન ..!

  4. Harnishon 20 Jul 2007 at 6:12 pm

    મળી નજર , કામણ કરી ગઈ
    પરેમનો ખજાનો લુ’ટયો, શુ’ કરુ’?

  5. Chirag Patelon 20 Jul 2007 at 11:18 pm

    ખુબ સરસ, ઊર્મિબેન. આપ પણ હવે છંદનો ભાવસાગર જ લહેરાવો છો! મઝાની રચના છે.

  6. narajon 21 Jul 2007 at 10:23 am

    સુંદર ………બહુ ગમી …..

    એ હતો ડાળી બટકણી ઊર્મિની,
    એષણાના ભારે ઝુક્યો, શું કરું?

    આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?
    સ્નેહનો આ તાર તૂટ્યો, શું કરું?

    .

  7. Jayon 22 Jul 2007 at 11:55 pm

    બહુ જ સરસ —

    થોડું જૂદું મારા તરફથી — “સંબંધની મજબુતાઈ બની છે પણ માણવા માટેના અવરોધો છે, શું કરૂં?”

    સંબંધો બનતા જાય છે ઘેરા,
    પણ સમય નથી પૂરતો માણવાને, શું કરૂં?

    સંબંધોનો મહાસાગર છે અતિઊંડો,
    પણ મીઠાશભર્યાં મોતી છે અસંખ્ય, શું કરૂં?

    સ્નેહધારા બનાવે છે સંબંધોને અતિમીઠા,
    પણ સરી જાય છે જીવન-સરિતા સંબંધોથી દૂર, શું કરૂં?

    રસધારા મહેકાવે છે સંબંધોને લાગણીની સુવાસથી,
    પણ ભૌગોલિક અંતર હજી છે ઘણું, શું કરૂં?

  8. hemantpunekaron 23 Jul 2007 at 1:17 am

    છંદમાં ગઝલ લખવાનો ચસ્કો ચઢ્યોને! એક વાર છંદમાં લખો પછી અછાંદસ ગઝલ લખાતી જ નથી. સરસ!

    કવિતામાં બે જગ્યા એ વપરાયેલો શબ્દ “ઊર” “ઉર” હોવો જોઈએ.

  9. Jugalkishoron 23 Jul 2007 at 6:22 am

    સાગરનું દૃષ્ય જે આરંભે મુકાયું છે તેમાં જ જાણે કે કાવ્યનો સમગ્ર સંદેશ આવી જાય છે ! ભરતીના બે પ્રવાહો જાણે કે વચ્ચેના શાંત જળથી નોખા થઈને રચનાનો કેન્દ્રવર્તી ભાવ પ્રગટ કરી દે છે ! કશું જ કહ્યા વગર કે શબ્દોની ગરજ વગર દૃષ્યો પણ ઘણું કહી જતાં હોય છે.

  10. Mukti Shahon 23 Jul 2007 at 8:13 am

    ઊર્મિ દીદી,

    કાશ, આ કવિતા મેં વાંચી જ ના હોત…સંબંધોના તૂટવા કરતા એના તૂટવાની યાદ વધારે આકરી લાગે.

    લાગતો’તો જે અતૂટ ને જન્મોનો,
    આજ જન્મે એ તો તૂટ્યો, શું કરું?

    સંબંધો વાવ્યા પણ ઉગ્યુ શુ?
    હતાશા….
    વિશ્વાસ વાવ્યો પણ લણી
    એકલતા..
    વાવ્યુંતુ એક દ્રશ્ય
    પણ થઇ ગયો તમાશો…

  11. Darshan Chandeon 23 Jul 2007 at 12:43 pm

    Very well written. Keep me informed of every new addition. Keep it up . Thanks for inviting. Best of luck.

  12. ashalataon 25 Jul 2007 at 12:11 pm

    લાગતો હ્તો જે અતુટ તે જ્ન્મોનો
    આજજન્મે એ તો તૂટ્યો શુ કરુ?

    બહુ જ સુન્દર
    keep it up.
    best of luck.

  13. કુણાલon 02 Aug 2007 at 6:27 am

    સરસ ભાવ અને સુંદર અભિવ્યક્તિ…

  14. nilamdoshion 09 Aug 2007 at 11:43 pm

    ઉર્મિ,છન્દ સરસ આવડી ગયા હો.સરસ રચના.અભિનન્દન

  15. પંચમ શુક્લon 10 Aug 2007 at 2:07 pm

    સુંદર કાવ્ય.

    પહેલી નજરે ગમેલો શેરઃ

    એ હતો ડાળે બટકણી ઊર્મિની,
    એષણાના ભારે ઝુક્યો, શું કરું?

  16. Vijay Shahon 11 Aug 2007 at 1:48 pm

    છન્દ સરસ આવડી ગયા તે બહુ ગમ્યું

    હવે વધુ છન્દમાં લખો અને ઝડપભેર લખો કે જેથી કાવ્ય સંગ્રહ બહાર પડે

  17. Shaileshon 01 Sep 2007 at 2:59 am

    બહુ સુન્દર

    ” ઊર્મિની ભરતીને જોઈ અંતરે,
    ઉરનો ઈશ્વર જો રૂઠ્યો, શું કરું?”

    I like it .

  18. [...] સ્નેહનો આ તાર તૂટ્યો, શું કરું? [...]

Trackback URI | Comments RSS

Leave a Reply