Nov 18 2006
પાયણાં (પત્થર)
મહાદેવ થઇને જે પૂજાય છે પાયણાં,
માનવ મથાળે એજ કૂટાય છે પાયણાં.
એવું નથી કે છે પાયણાં જ પાયણાં,
હાલતા ને ચાલતા દેખાય છે પાયણાં.
કો’કવાર જે હૈયાઓ પ્રેમાળ દેખાય,
એને સંઘરો ઉરે તો નીકળે એ પાયણાં.
સુખમાં જે મિત્રો મને આવી ભેટાય,
દુ:ખમાં દીસે તેઓ મને રૂડાં પાયણાં.
જો પ્રિતમની સંગ મારું દલડું રિસાય,
મનાવે નઇ મને, તો લાગે એય પાયણાં!
* * *
ઊર્મિસાગર
*
સહિયારું સર્જન બ્લોગ પર ‘પાયણાં‘ની પોસ્ટ વખતે લખેલી ગઝલ…
*




[...] મહાદેવ થઇને જે પૂજાય છે પાયણાં, માનવ મ… [...]