Nov 20 2008
આવશે (તઝમીન)
જનાબ શ્રી આદિલ મંસૂરી સાહેબનાં એક અમર શેર પર લખેલી એક તઝમીન… શ્રી આદિલસાહેબને અંજલીરૂપે અર્પણ.
(હોવાનો ભણકાર કે ન હોવાની પાનખર ? નવેમ્બર 7, 2008)
શબ્દે શબ્દે અર્થનો વિસ્તાર વચ્ચે આવશે,
મૌનનાં પણ એક-બે ટહુકાર વચ્ચે આવશે,
આવશે, આ દિલનાં પણ ભણકાર વચ્ચે આવશે!
આ ગઝલનાં આયનાઘરમાં કદમ મૂકો અને *
ગુર્જરી સોળે સજી શણગાર વચ્ચે આવશે.
- ‘ઊર્મિ’
* આદિલસાહેબની આ આખી ગઝલ અહીં વાંચો…




