સૌ મિત્રોને દશેરાની ખૂબ ખૂબ શુભકામનાઓ… આપણા મનની રાવણીય વૃતિઓ પર વિજય મેળવી આપણી અંદરની શ્રદ્ધારૂપી સીતા પણ સ્વતંત્ર થાઓ એવી વિજયાદશમીની શુભેચ્છાઓ… કહેવાય છે કે આજનાં દિવસે પ્રભુ શ્રીરામે રાવણનો વધ કર્યો હતો… એટલે કે દૈવીશક્તિએ આસુરીશક્તિ પર વિજય મેળવ્યો હતો… આજે નક્કી દેશમાં જ્યાં જુઓ ત્યાં રાવણનાં પૂતળાને આગ લગાડવાનું દૃશ્ય ઠેર ઠેર જોવા મળ્યું હશે… પરંતુ રાવણનાં વધ પછી તરત એ જ અગ્નિની જ્વાળાઓમાંથી પસાર થઈને માતા સીતાને પોતાની પવિત્રતાની અગ્નિપરીક્ષા આપવી પડી હતી, તે પ્રસંગ પણ યાદ છે ને?! તો આજે એ પ્રસંગને યાદ કરાવતાં રામ-સીતાનું એક ભક્તિગીત…
(ક્યાંના ભગવાન તમે…?)
સંગીતકાર : અવિનાશ વ્યાસ
સ્વર : આશા ભોંસલે
વર્ષ: 1979
સંગીત સંયોજન અને સ્વર: આશિત દેસાઈ
રામ… રામ… રામ…
દયાના સાગર થૈને, કૃપા રે નિધાન થૈને, છો ને ભગવાન કહેવડાવો…
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો…
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો.
સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે ફૂલ ને ચંદનથી છો પૂજાઓ,
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો…
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો.
કાચા રે કાન તમે, ક્યાંના ભગવાન તમે, અગ્નિ પરીક્ષા કોની કીધી?
તારો પડછાયો થઇ જેને, વગડો રે વેઠ્યો એને, લોકોની વાતે ત્યાગી દીધી…
પતિ થઇ પત્નીને પારખતાં ન આવડી, છો ને ઘટઘટના જ્ઞાતા થઇ ફુલાઓ;
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો…
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો.
તમથીયે પહેલા અશોક વનમાં, સીતાજીએ રાવણને હરાવ્યો,
દૈત્યોના બીચમાં નિરાધાર નારી તોયે, દશમંથાવાળો ત્યાં ન ફાવ્યો…
મરેલા ને માર્યો તેમાં કર્યું શું પરાક્રમ, અમથો વિજયનો લૂંટ્યો લ્હાવો;
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો…
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો.
-અવિનાશ વ્યાસ
આ ભક્તિગીતમાં મા સીતાજીનાં ભક્તોનો પ્રભુ રામને પ્રેમપૂર્વક કરેલો આક્રોશ પ્રગટ થાય છે… રામે રાવણ ઉપર વિજય ભલે આ દિવસે મેળવ્યો હતો, પરંતુ મા સીતાએ રાવણને તણખલા સમાન તુચ્છ ગણીને ઘણા વખત પહેલા એને મનથી મારી નાંખ્યો હતો… અને મનથી મરેલા માણસનાં શરીરનો રામે સંહાર કર્યો એમાં એમણે શું મોટું પરાક્રમ કરી નાંખ્યુ? અને ઉપરથી વિજયનો અમથો લ્હાવો લૂંટ્યો… આશાજીનાં ગળચટ્ટા અવાજમાં આ મધૂરું ગીત સાંભળવાનું તો ખૂબ જ ગમે છે અને સાંભળીને હું કાયમ વિચારમાં પડી જાઉં છું… અહીં આપણે ખરા-ખોટાની કોઈ ચર્ચા નથી છેડવી, પરંતુ ગમે તેટલી વાર કોઈ પણ પાસે આ પ્રસંગનું અર્થઘટન સાંભળું કે વાંચું… પૂજ્ય શ્રી મોરારીબાપુના મુખે પણ… (જેમ કે અગ્નિપરીક્ષા એ સીતામાનું અસલ સ્વરૂપ અગ્નિદેવતા પાસે ફરી માંગવાની એક યુક્તિ માત્ર હતી!) પરંતુ સીતાની અગ્નિપરીક્ષાની તરફેણની કોઈ દલીલ આજ સુધી મારા ગળે ઉતરી જ નથી શકી… કદાચ એટલા માટે જ હશે કે એ દ્વાપરયુગ હતો અને આ કળીયુગ છે… એટલે કે ત્યારની વિચારધારાનું વહેણ પણ હવે બદલાઈ તો ગયું જ હોય ને…! જો કે અમુક જડ વિચારધારાઓ તો યુગો વિતવા છતાં એવી ને એવી જડ જ રહે છે… એ કદીયે બદલાઈ નથી શકતી… અને આજે પણ એ સત્ય છે, કે અગ્નિ વગરની અગ્નિપરીક્ષામાંથી આજે પણ ઘણી ભારતીય સ્ત્રીઓએ પસાર થવું જ પડે છે…! ઘણીવાર તો મને થાય છે કે એ વાત કદાચ સાચી જ હશે… જે વાત વર્ષો પહેલાં એક સૌરાષ્ટ્રનાં ભાઈએ મને કહી હતી… એ જ કે, રામાયણ અને મહાભારત એ તો થોડા ખૂબ જ ફળદ્રુપ ભેજાઓની એક ઉપજ છે… સમાજને એક આદર્શ અને ધ્યેય આપવા માટે.
અને હા, નવ નવ રાત્રિઓ ભલે પતી ગઈ હોય, પણ નવરાત્રિનો અંત કંઈ એટલો જલ્દી થોડો જ આવે… ?! અને એ પણ અહીં અમેરીકામાં…?! જ્યાં કમ સે કમ, 3-4 વીક-એંડ સુધી ગરબા ગવાય છે…! ગરબા-રાસની રમઝટ તો હજી આપણે પૂનમ સુધી તો માણીશું જ ને?! તો કાલથી ફરી રાસની રમઝટ શરૂ… શરદ પૂનમ સુધી.







One of my all-time favourite classic.
Urmi
Awesome song!
બહુજ સરસ ગીત છે.
(દસ માથાવાળો જોઈએ તેને બદલે દસ “મંથા”વાળો છપાયું છે)
એટલે બધાં જય સીતારામ કરીએ છીએ.
સાંભળ્યું છે જય રામસીતા કરતાં કોઈએ?
Can any one upload this song by Ashaji in MP3 format???
આ ગીતને mp3 format મા કોઇ upload કરશો તો આભાર
દશેરા ના શુભ દિવસે આપના તરફ થી મળેલી ગીત રચના… અમુલ્ય …તહેવાર ના અનુરુપ ગીત …વારે વારે સાભળયા કરવાનુ મન થાય.
કાવ્ય રચના મા કોઇ ભુલ નથી..કવિ ઓ ને શબ્દ રચના ગીત ને અનુસાર ફેરફાર કરવા પડતા હોઇ છે.
‘દશ માથાવાળો’ શબ્દો મેં બીજા કોઈકનાં સ્વરમાં સાંભળ્યા છે જરૂર, પરંતુ અહીં તમે ધ્યાનથી સાંભળશો તો આશાજીએ ‘દશમંથાવાળો’ જ ગાયું છે… (કમ સે કમ મને તો એવું જ સંભળાય છે હોં !
)
સુન્દર. આ અન્ગે મારી એક કવિતા જુઓ = મન્ગલ અભિસાર = હૈયુ હવે પાવક પુપ્પ શુ થયુ માધુર્યથી પૂર્ણ,ફરી ધરી દીધુ સમાધિમા સ્થિત જ્ટાળ જોગીને! ઝન્ખી રહી’તી કંઇ કાળથી એ -
સુંદર ગીત રચના…
વધુ = ‘ત્વ્મેવ ભર્તા, ન ચ વિપ્રયોગ’ સતીત્વનો પૂર્ણ થયો પ્રયોગ! ઉરે વસી મૂર્તિ મળી ફરિ જંયા શી તરુપ્તી છે અન્તર-ઊર્મિઓને ! અજાણ કોઇ સ્મુતિથી ન ચન્ચલ આ ધન્ય વેળા, અભિસાર મન્ગલ!
સરસ ગિત ગમ્યુ
મારી પાસે આજ ગીત આશિત દેસાઇના સ્વરમાં પણ છે. ઉર્મિબેન, આપ તે અહીં રજૂ કરવા માગતા હોવ તો મને આનંદ થશે અને સૌને એક નવા અવાજમાં આ સુંદર ગીત માણવા મળશે
શબ્દો સાચા જ છે. દસમંથા વાળો જ ગાયું છે.
ઉર્મિબેન
આપની સાથે વાત(ઇ-મેલ) થયા મુજબ મેં આ ગીત આશિત દેસાઇના સ્વરમાં આપને મોકલી આપ્યું છે. જોઇ લેવા મહેરબાની.
આભાર.
પ્રિય પ્રિતેશભાઈ, આ ગીત આશિતભાઈનાં સ્વરમાં મોકલવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.. વાંચકો માટે અહીં આશાજીનાં સ્વરની સાથે સાથે મેં તમે મોકલાવેલી ઓડિયો ક્લિપ પણ ઉમેરી દીધી છે… ફરીથી આપનો આભાર.
કાચા રે કાન તમે, ક્યાંના ભગવાન તમે, અગ્નિ પરીક્ષા કોની કીધી?
તારો પડછાયો થઇ જેને, વગડો રે વેઠ્યો એને, લોકોની વાતે ત્યાગી દીધી
રામ કેવા રાજા હતા !!!!
આજે ???????
ઉર્મિ બેન્,
i love this song since my childhood. i’m enjoying every word each and every time i listern to it.
i have request i want to listern one song kasumbi no raang. if you can tell me where to find it?
thanks.