
(ક્યાં સુધી પંપાળશે તકદીરને ?)
સંકલ્પ વિના એ શક્ય નથી
તું રોક નયનના આંસુ મથી
તું હાથની મુઠ્ઠી વાળી જો
રેખાઓ બધી બદલાઈ જશે !
*
ખાળ તારી આંખડીના નીરને
સંકટોમાં આ ન છાજે વીરને;
એને ઠોકર મારીને રસ્તે લગાવ,
ક્યાં સુધી પંપાળશે તકદીરને ?
-શેખાદમ આબુવાલા
કવિએ આ બે નાનકડા મુક્તકોમાં જાણે દુનિયાભરની ખુમારી મૂકી દીધી હોય એમ નથી લાગતું?!!!








એકદમ સાચ્ચી વાત છે
તું હાથની મુઠ્ઠી વાળી જો
રેખાઓ બધી બદલાઈ જશે !
એને ઠોકર મારીને રસ્તે લગાવ,
ક્યાં સુધી પંપાળશે તકદીરને ?
… તદબીર બનાવવાનુ જોમ લાવતી
યાદ આવી
તકદીર માત્ર મે બેસહારાઓની પલટતી જોઇ છે…
ને…તેમન દર્દ ની સીમાઓને બસ મે વધતી જોઇ છે…
ઊર્મિદીદી, બહુ સરસ મુક્તક… ગની દહીંવાળા ની એક વાત યાદ આવી ગઈ મને કે- શ્રદ્ધા જ મારી લઈ જશે મંઝિલ સુધી મને, રસ્તો ભૂલી ગયો તો દિશાઓ બદલાઈ જશે.
Grea idea. In short, the thought has wonraders’ hearts. Keep he spirit. Good lck.
નિરાશા ખંખેરી હિંમતથી ડગ ભરવાની પ્રેરણા આપતા સરસ મુક્તકો.
મને અમદવાદ કોલેજના દિવસો યાદ આવી ગઇ,જ્યારે
સુંદર મુક્તકો…
એને ઠોકર મારીને રસ્તે લગાવ,
ક્યાં સુધી પંપાળશે તકદીરને ?
તકતી બનાવી દિલ દિમાગ પર ક્ડારી રખાય એવી એક્દમ ખુમારીભરી વાત
people will always throw stones in your path,
It depends on you what you make from it.A wall or a bridge! your decision will be change life.
ફરી ફરીને આ મુક્તકો વાંચ્યા… જેમ જેમ વાંચતો ગયો એમ એમ વધુ ને વધુ ગમતા ગયા… ટિપીકલ શેખાદમની શૈલી…
સંદર મુક્તકો ! ફરી ફરી વાંચવા લલચાવે છે.
સુંદર મુક્તકો …