
(રૂંવે રૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં… ફોટો: વેબ પરથી)
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,
મૂઈ રે એની મ્હેંક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.
બાવળિયાની શૂળ હોય તો ખણી કાઢીએ મૂળ,
કેરથોરના કાંટા અમને કાંકરિયાળી ધૂળ;
આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.
તાવ હોય જો કડો ટાઢિયો કવાથ કુલડી ભરીએ,
વાંતરિયો વળગાડ હોય તો ભૂવો કરી મંતરીએ;
રૂંવે રૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.
- રાજેન્દ્ર શાહ
જેટલો સુગંધીદાર કેવડો, એટલી જ મનગમતી એના કાંટા વાગવાની પીડા… પણ અહીં કવિશ્રી માત્ર કેવડાનાં ઝાડનાં કાંટા વાગવા જેવી સહજ વાત થોડી જ કરે છે ! એમની તો વાતેય અણદીઠી જ હોય ને; જેમ કે અહીં વાત છે કોઈ ‘અણદીઠા’ની અને રૂંવે રૂંવે પીડતા એના અણદીઠા ‘કાંટા’ની… અને એ ‘કાંટો’ વાગવાની પીડા મટાવવાની વાત એટલે જાગતા માણસને ઉઠાવવા જેવી વાત… :-)








સરસ લોકગીત જેવી રચના.
કેવડિયાના ફુલનિ સુગન્ધ વિશે તો ઘણિ વાર વાતો સમ્ભળિ છે,
પરન્તુ કવિશ્શ્રિએ જે કેવડિયાન કાન્ટા વિશે ગિત લખ્ય છે, તે તો બહુજ્
કમાલ છે….ખુબજ સુન્દર લોક્ગિત …..
ચન્દ્રા
રાજેન્દ્ર્ભાઈનુ જિવન પરમાત્માનિ શોધમા વિત્યુ. જે ના પરિપાક્રરુપે આ સુન્દર કાવ્ય જન્મ્યુ છે. ઍક રુપક ખુબ અદ્ભુત રિતે રજુ કર્યુ છે. અન્હિ કેવ્ડિયાનો કાન્ટો સત્ગુરુ ની વાણી છે.જે મિઠિ પણ લાગે અને કાન્ટાની જેમ કાળજામા ચુભે પણ છે.આ પિડા ન સહિ સકાય્ કે ના કહિ સકાય ફક્ત ગાઇ શકાય આન્ખ મા આસુ સાથે.
સુ.દ. દ્વારા આ ગીતનો આસ્વાદ, દિવ્યભાસ્કરનાં ‘હયાતીનાં હસ્તાક્ષર’માં વાંચો…
http://www.divyabhaskar.co.in/2010/01/16/100116155827_rajendra_shah_suresh_dalal.html