
(…ક્યાંય નથી મધુવનમાં…! ફોટો: ક્રિષ્ના.કૉમ પરથી )
સંગીત : આશિત દેસાઈ
સ્વર : હેમા દેસાઈ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં:
. માધવ ક્યાંય નથી મધુવનમાં.
કાલિન્દીનાં જલ પર ઝૂકી
. પૂછે કદંબ ડાળી;
યાદ તને બેસી અહીં વેણુ
. વાતા’તા વનમાળી ?
લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં:
. માધવ ક્યાંય નથી મધુવનમાં.
કોઈ ન માગે દાણ .
. કોઈની આણ ન વાટે ફરતી,
હવે કોઈ લજ્જાથી હસતાં .
. રાવ કદી ક્યાં કરતી ?
નંદ કહે જશુમતીને, માતા લાલ ઝરે લોચનમાં:
. માધવ ક્યાંય નથી મધુવનમાં.
શિર પર ગોરસમટુકી .
. મારી વાટ ન કેમે ખૂટી;
અબ લગ કંકર એક ન લાગ્યો, .
. ગયાં ભાગ્ય મુજ ફૂટી.
કાળજ કહે આંખોને, આંખો વાત વહે અંસુવનમાં:
. માધવ ક્યાંય નથી મધુવનમાં.
- હરીન્દ્ર દવે
વારંવાર પુનરાવર્તિત થતો ‘માધવ ક્યાંય નથી મધુવનમાં’ નો ઉદગાર આખા ગીતમાં માધવનાં મધુવનમાં હવે ન હોવાની કારમી ચોટને વધુ ને વધુ ઘેરી કરે છે અને એની પીડા લાંબા સમય ઘૂંટાયા કરે છે. આ ધ્રુવપંક્તિ આપણા ગુજરાતી સાહિત્યની અમર પંક્તિ છે એમ કહીએ તો જરાયે અતિશયોક્તિ નહી હોય. આ ગીતામાં માત્ર રાધા કે ગોપીનો વિરહ નથી, આખા ગોકુળનો વિરહ છે. તમામ સજીવો તથા નિર્જીવ પદાર્થો પણ કૃષ્ણની શોધાશોધ કરે છે. આખી સૃષ્ટિ જાણે રાધામય કે ગોપીમય બની ગઈ છે. મથુરા ચાલ્યા ગયેલા કૃષ્ણ હવે ગોકુળમાં નથી જ, પરંતુ એ ‘ક્યાંય નથી’નું સત્ય હજી પ્રકૃતિને ગળે પણ નથી ઉતરતું. કવિશ્રી આપણને પણ રાધાભાવમાં ડૂબાડી રાધાકૃષ્ણનાં સાન્નિધ્યની અદભૂત અનુભૂતિ કરાવતા હોય એવું ભાસે છે.
લયસ્તરો પર યાદગાર ગીતોની ચાલી રહેલી શૃંખલામાં આજે હરીન્દ્ર દવેનું બીજું એક ગીત પણ માણો… - ને તમે યાદ આવ્યા !








Lovely Krishnageet! We used to have this as one of the school preayers in Mumbai. Thanks Urmi for posting.
વહાલાં બહેન,
હું તમારી મેઈલની રાહ જ જોતી હોઉં છું. આવે એટલે મને ધરવ થાય ત્યાં સુધી સાંભળું એટલું જ નહીં; દીલભરીને માણું. ‘માધવ ક્યાંય નથી મધુવન’માં કંઈ કેટલીયે વાર સાંભળ્યું હશે; પણ નજર સામે અક્ષરો વંચાતા હોય અને કાન વાટે તે સંગીતને સથવારે પહોંચે તે સીધા જાણે પહોંચે હૃદયમાં… એની મઝા જ કંઈ ઓર છે !
વચ્ચે નવરાત્રીમાં અમારી ફીફ્ટી ફાઈવ પ્લસ મહીલા મંડળમાં સ્પર્ધા હતી ત્યારે મેં તમારી વેબસાઈટનો ભરપેટ લાભ લીધેલો ત્યારે જ તમને લખવા મને મન હતું પણ નહોતું લખાયું. લો, આજે લખ્યું.
તમે બહુ જ સરસ કામ કરો છો અને તે ચાલુ જ રાખજો.
..મધુકાન્તા ગજ્જર – સુરત – uttamgajjar@gmail.com
ઉર્મિબહેન,
તમારિ દરેક પોસ્ટ એટલિ સરસ હોઇ છે કે વાત ના પુછો,,,,
મધવ ક્યાય નથિ મધુવનમા,,,સામભડિ,,,ખુબજ પ્રસ્નતા થઇ
ફરિ પણ મોકલતા રહેશો
ચન્દ્રા
કાલિન્દીનાં જલ પર ઝૂકી
પૂછે કદંબ ડાળી;
યાદ તને બેસી અહીં વેણુ
વાતા’તા વનમાળી ?
લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં:
માધવ ક્યાંય નથી મધુવનમાં.
- અદભૂત કોમળ અને મધુર પંક્તિઓ !
શ્રી ઊર્મિબેન, શ્રી હરીન્દ્ર દવેની “માધવ ક્યાંય નથી મધુવનમા” પંક્તિઓ સાથે, એમની જ આ જ નામની નવલકથા” માધવ ક્યાંય નથી” મા પણ, આ જ ભાવ સાથે નારદજીના મુખ્ય પાત્ર સાથે, ખુબ રસદાયી અને માધવની શોધ ક્યાં ક્યાં કરવી રહી એની ભાળ આપતી વાચી છે એટલે કાવ્ય વિશેષ આનદ આપી જાય છે, આપનો આભાર..
ઉર્મીની પોસ્ટ ઘણા વખતથી મળી ન હતી , પણ જ્યારે મળી ત્યારે હરિન્દ્ર દવેની રચના હેમાબેનના સ્વરમાં, યાદગાર રચના સાંભળી મન ખુશ થઇ ગયું. ઉર્મી ને અભિનંદન.
wou, nice kavya let me say it is a realy URMI KAVYA. jay shri krushna.
શ્રી.હરીન્દ્ર દવેની આ એક સુંદર રચનામાંની એક ગણાવી શકાય. મારે એમની સાથે ખૂબ ઘરોબો હતો.કટોક્ટીકાળમાં મારી કટોકટીને અનુલક્ષીને લખાયેલી ગઝલો એમણે ‘જનશક્તિ’માં પ્રગટ કરી હતી તે બધું મને યાદ આવે છે.આ ગીત મૂકીને મને આનંદવિભોર કર્યો તે બદલ હું ખૂબ આભારી છું.
ચિરસ્મરણીય કૃતિ…
બ હ જ સ ર સ્