છઠ્ઠી નવેમ્બરે જનાબ શ્રી આદિલસાહેબની પ્રથમ પુણ્યતિથિ હતી… એમને હૃદયપૂર્વક સાદર શ્રદ્ધાંજલિ. આ એક વર્ષમાં ન્યુ જર્સીમાં થયેલાં સાહિત્યલક્ષી કાર્યક્રમોમાં બધા સાહિત્યપ્રેમીઓને આદિલભાઈની ખોટ અચૂક વર્તાઈ છે અને કાયમ વર્તાતી રહેશે. અહીં ન્યુ જર્સીમાં તો ઘણા સાહિત્યપ્રેમીઓ આદિલભાઈને ’દાદા’ કરીને પણ બોલાવતા હતા. આજે આપણે માણીએ, આદિલભાઈ દ્વારા એમની ચાર ગઝલોનું વિડીયો પઠન… જે માર્ચ ૨૦૦૩માં ગેઈંસ્વિલ, ફ્લોરિડામાં શ્રી દિનેશ શાહ દ્વારા આયોજીત થયેલાં ‘પોએટ્રી ફેસ્ટીવલ ઓફ ઈંડિયા’નાં કાર્યક્રમની વિડીયોમાંથી લીધું છે. કાર્યક્રમની વિડીયો મોકલવા માટે દિનેશ અંકલનો ખૂબ ખૂબ આભાર.
*
વતનની ધૂળના એક્કેક કણને સાચવજો,
ને આરપાર આ વિસ્તરતા રણને સાચવજો.
હવાને, બાગને,વહેતા ઝરણને સાચવજો,
ને હેમખેમ આ વાતાવરણને સાચવજો.
યુગોના ભારેલા અગ્નિની રાખ ખંખેરી
સમયના ચોકમાં એકેક ક્ષણને સાચવજો.
બધુ જ ખૂંપી રહ્યું છે ક્ષણે ક્ષણે ઊંડે,
તમારો પગ ન પડે ત્યાં કળણને સાચવજો.
બધા એક યુગલમાંથી જન્મ તો પામ્યા,
કુટુંબમાં હવે અંતિમ મરણને સાચવજો.
ક્યહીં ન હાથથી છટકીને આપને વાગે,
હવામાં ઉંચે ઉગામેલા ઘણને સાચવજો.
આ દુનિયા જાય જહન્નમમાં તો જવા દેજો,
કોઈના નામના પ્રાતઃસ્મરણને સાચવજો.
બીજા બધાને ઉપરવાળો સાચવી લેશે,
બની શકે તો તમે એક જણને સાચવજો.
‘કશો જ અર્થ નથી’ કહેવું યે નિરર્થક છે,
આ ભૂંડી ભાષાના પોપટરટણને સાચવજો.
તિમિરને તેજના મિશ્રણ ઉપર બધો આધાર,
સિતારા ચાંદ ને સૂરજકિરણને સાચવજો.
વતનની ધૂળ વિખેરાઈ જાય તે પહેલાં,
વતનની ધૂળના સૌ સંસ્મરણને સાચવજો.
દબાઈ જાય ના કીડીના કાફલા ‘આદિલ’,
વિજયની કૂચમાં ધસમસ ચરણને સાચવજો.
-આદિલ મન્સૂરી
(૧૮ માર્ચ, ૨૦૦૨ - ન્યુ યોર્ક)
***
લાગણીને આમ ના વિસ્તાર વચ્ચે આવશે,
આપણા હોવાપણાનો ભાર વચ્ચે આવશે.
કાન મીંચી મૌનનાં ખંડેરમાં બેઠા પછી,
સૂક્ષ્મતમથી સૂક્ષ્મતમ ઉદગાર વચ્ચે આવશે.
આ સડકની સામસામે આપણું હોવું અને,
સાયકલ, રીક્ષા, ખટારા, કાર- વચ્ચે આવશે.
આંગણુ સંબંધનું કોરું રહી જાશે અગર,
એક દિ વરસાદ મૂશળધાર વચ્ચે આવશે.
વચ્ચેની દિવાલ કેવી પારદર્શક છે હજી !
પણ સમય વિત્યે સમયનો ક્ષાર વચ્ચે આવશે.
માર્ગનાં અંતે હશે એક બારણું, પણ તે પ્રથમ
ઝંખનાનો ભૂખરો વિસ્તાર વચ્ચે આવશે.
તું બધું છોડીને ચાલી તો નીકળ પહેલા, પછી
ડગલે ને પગલે ભર્યા ભંડાર વચ્ચે આવશે.
કોના કોના આંગળાની છાપ છે ગરદન ઉપર,
દોસ્તોના નામ વારંવાર વચ્ચે આવશે.
આ ગઝલના આયનાઘરમાં કદમ મૂકો અને
ગુર્જરી સોળે સજી શણગાર વચ્ચે આવશે.
આ ગઝલ ’આદિલ’ હૃદય સોંસરવી ઉતરી જાય, પણ
પંડિતોને પાઘડીનો ભાર વચ્ચે આવશે.
-આદિલ મન્સૂરી
***
લખચોર્યાસી ઈચ્છાઓના ઢગલાને ઓળંગી જા,
ઘટનાનાં પહેલા મૃત્યુની ઘટનાને ઓળંગી જા.
એક જ પગલામાં સાતે દરિયાને ઓળંગી જા,
વચ્ચે જો શંકા આવે તો શંકાને ઓળંગી જા.
પાંપણ ઢાળી દેવાની આ ઈચ્છાને ઓળંગી જા,
હે ઊંઘણશી! જાગ, ઊભો થા, સપનાંને ઓળંગી જા.
સોનેરી હરણાની જેમ જ માયા છે સીમાઓ પણ,
સંકલ્પોનાં વેગે લક્ષ્મણરેખાને ઓળંગી જા.
‘જે કાંઈ દેખાય રહ્યું તે માયા છે, કેવળ માયા !’
આવું કહેવું પણ માયા છે, માયાને ઓળંગી જા.
આખ્ખું યે બ્રહ્માંડ તો એની ઈચ્છાનું એક ટપકું છે,
થાય તને પણ જો ઈચ્છા તો ટપકાને ઓળંગી જા.
આ કાંઠે તો અવઢવનાં મોજાંઓ ઉછાળા મારે પણ,
સાંભળવી જો હોય બંસરી, જમનાને ઓળંગી જા.
બત્તી લાલ થતાં ધસમસતાં વાહન થંભ્યા જો!
ચાલ, હવે આ ખાબળખૂબળ રસ્તાને ઓળંગી જા.
-આદિલ મન્સૂરી
***
હા, એજ ગામ એજ હા, પાદર તને મળે,
ધૂળે ભરેલ શેરીનું એક ઘર તને મળે.
એકલતા વચ્ચે મૌનનું જે દર તને મળે,
એમાં જ કોઈ શબ્દનો અવસર તને મળે.
દિવસો ગયા કે પીઠની પાછળનાં ઘા ગણો,
છાતી જરા ઉઘાડ કે ખંજર તને મળે.
જેની સભાને ત્યાગીને તું નીકળી ગયો,
કાબાનાં બારણામાં એ કાફર તને મળે.
કંટક છવાયેલી રહી જીવન સફર ભલે,
મૃત્યુ પછી તો ફુલની ચાદર તને મળે,
પત્થર મૂક્યો છે એટલે ‘આદિલ’ કબર ઉપર,
દુનિયા તરફથી આખરી ઠોકર તને મળે.
-આદિલ મન્સૂરી
***
આદિલભાઈએ ર.પા.ને આપેલી ગઝલાંજલિ (જે આજે એમનાં માટે પણ એટલી જ સાચી લાગે છે!) લયસ્તરો પર માણો.






ખરેખર.. આદિલ સાહેબની ખોટ હંમેશા વર્તાતી જ રહેશે..!
બધી જ ગઝલો મઝાની… એ પણ એમને આમ પ્રત્યક્ષ જોયાનો અહેસાસ કરાવે એવી રીતે એમના મોઠે સાંભળવાની - એમને જોવાની ખૂબ જ મઝા આવી..!
આ શેર તો ખૂબ જ ગમ્યો..
બીજા બધાને ઉપરવાળો સાચવી લેશે,
બની શકે તો તમે એક જણને સાચવજો.
આદિલ સાહેબના કંઠે આ તમામ રચનાસાંભળી દિલ બાગ બાગ થઈ ગયું.
ધન્યવાદ ઉર્મિજી…
ખરેખર ખૂબ સુંદર ગઝલો……,,
અને તે પણ ખુદ આદિલ સાહેબના કંઠેથી સાંભળવા મળી પછી જોઈએજ શું?
આભાર ઉર્મિબેન….
સીમા
ગ
Many thanks to you Urmiben and also to Shri Dineshbhai
Maza aavi gai
અ દ ભૂ ત
આદિલ સહેબે તેમણેજ પોતનિ ગાયેલિ ગઝલો સામ્ભડિ અને રુબરુ
વિડિઓ જોઇ ,ખુબજ પ્રસન્તા થઈ..ઔર્મિબે તમારો આભર આ
વિડિઓ તથા ગઝલ મોકલવા બદકલ્.
ચન્દ્રા
શ્રી ઉર્મિબેન, સરસ ઉપક્રમ કર્યો, ખુબ આભાર, આદિલસાહેબને હ્રયપુર્વક્ની શ્રદ્ધાંજલી, બીજા આદિલ સાહેબ ના મળશે એનો રંજ રહેશે…..
આદિલસાહેબને મારી હૃદયપુર્વક્ની શ્રદ્ધાંજલિ. રૂબરૂ સાંભળવાનો મોકો તો ન મલ્યો પણ વિડીઓ જોઈને પણ સરસ લહાવો મલ્યો. સરસ ગઝલો છે.
આભાર ઊર્મિ આદિલભાઈના અવાજ્માં પઠન સાંભળવા મલ્યુ..ખુબ આભાર્..
સપના
આદિલની ગઝલોનો આનંદઃ ૨
ADIL MANSURI PASSES AWAY
(WIDER HORIZONS Weekly: 08-47)
Modesto California Sunday November 9, 2008
(This is my humble tribute to my ghazal-guru Janab Adil Mansuri. –Girish)
On Thursday, November 6, 2008, I got an E-mail with the subject: “With great sadness, we announce the passing of our beloved, Adil (Farid) Mansuri.” I could not believe it, and opened the mail right away. It was a message from the Mansuri family.
I was shocked to read the sad news. I came in contact with Adilji in many mushayaras over several years, and even participated in some of them. Wrote and published reports about several mushayaras in news papers. Have translated Adill’s few ghazals in English, one of them (”O Baba!”) was published in Sandhi Magazine not too long ago.
Several years ago Asharaf Dabawala had organized mushayara in his home in a Chicago suburb. Among several poets Adil was a leader. The program was over late at night, and my friend Niranjan Bharadwaj and I slept in the basement of Asharafji. In a dream that night I saw Adilji. I bowed down to him and he blessed me.
From the next day I started considering Adilji my ghazal-guru. Later I wrote a ghazal of few lines revealing that Adil is my ghazal guru. When I showed it to him he smiled. (I would try to include that ghazal in a future Part of this series.)
Let us pray to God Almighty for the peace of the soul of Adilji, and to give strength to his family members, relatives, friends, and tens of thousands of admirers to bear this loss. Indeed, Adil Mansuri (1936-2008) will be immortal in Gujarati and Urdu literature.
Let me give the translation of one of my favorite ghazal of Adilji. The Holy Trio willing I would translate in English some more poems of Adilji who was a mystic poet also.
WHAT’S THE MAGIC IN THY NAME, O KRISHNA?
(This is the free translation of a Gujarati ghazal by Adil Mansuri, one of the greatest Gujarati and Urdu poets who lived in New Jersey, USA.)
Krishna’s flute echoes all o’er the village,
What’s the magic in thy name, O Krishna?
The lightening flashed and merged in a cloud
Like fair Radha became one with black Krishna.
I see you ev’n when I close my eyes,
Say, how can I carry on ANY work?
Peacock feather brushes o’er my body
What a magic is thy name, O Krishna.
My broken heart fills with thy memory
Like butter milk brimming in a vessel of clay.
Note: Please consider the above translation a draft. I would deeply appreciate suggestions for improvements.
(The original Gujarati ghazal (from MALEY NA MALEY (A Collection of Gujarati poems by Adil Mansuri) Copyright by Ali Imran Mansuri. The English translation (done with permission) Copyright (c) 2003 by Girish Parikh. All rights reserved.)
——
Please join the Yahoogroup WHSW. Membership is FREE. Write to Girish at girish116@yahoo.com.
(Copyright (c) 2008 by Girish Parikh).
———————————————————આદિલની ગઝલોનો આનંદઃ ૧ “માનવ ન થઈ શક્યો” નવેમ્બર ૧૦, ૨૦૦૯ “ટહુકો”
http://tahuko.com/?p=7135#comments
આદિલની ગઝલોનો આનંદઃ ૩
“વતનની ધૂળના એક્કેક કણને સાચવજો” આદિલજીની આ ગઝલના બધાજ શેર મને ગમે છે, પણ નીચેનો શેર મને અંગદ રીતે લાગુ પડે છે. હું માનું છું કે તમને પણ એ લાગુ પડતો હશે.
“બીજા બધાને ઉપરવાળો સાચવી લેશે,
બની શકે તો તમે એક જણને સાચવજો.”
“એક જણ” જેને આદિલજી સાચવી લેવાનું કહે છે એ કોણ છે? અલબત્ત એ તમારે જ નક્કી કરવાનું છે. મારા વિચારો રજૂ કરું છું:
તમને સૌથી વધુ પ્રિય કોણ છે? પોતાની જાત — એટલે કે પોતાનું શરીર અને જીવન — તો સૌ કોઈને પ્રિય હોય છે. પણ આ શરીર નશ્વર છે. એમાં આત્માનો વાસ છે, અને શરીર રૂપી મંદિર દ્વારા આત્મદર્શન કરીએ તો જીવન સાર્થક થયું ગણાય.
આ શેર વિષે વધુ વિચારો:
“એક જણ” એટલે તમારું સૌથી પ્રિય સ્વજન. એ સ્વજનને નિસ્વાર્થ ભાવે સાચવી લેવાથી પણ તમને પરમાનંદનો અનુભવ થશે. અલબત્ત તમે નિમિત્ત બનો છો, ખરો સાચવનાર તો (પ્રથમ પંક્તિમાં જણાવ્યા મુજબ) ઉપરવળો જ છે.
ખરેખર આદિલના આ શેર આનંદમાંથી પરમાનંદ તરફ લઈ જાય છે!
“વતનની ધૂળના એક્કેક કણને સાચવજો,
ને આરપાર આ વિસ્તરતા રણને સાચવજો.”
ગઝલના આ પ્રથમ શેરમાં આદિલજીએ “કણ”ની વાત કરી છે — એ વાંચતાં મને મારી નીચેની રચના યાદ આવી:
આદિલ
ગઝલનું નામ છે આદિલ
ગઝલનો મર્મ છે આદિલ
“ગઝલના આયનાઘરમાં”
છવાઈ જાય છે આદિલ
“મળે ન મળે” માં યે
મળી તો જાય છે આદિલ
નદીની રેતના કણમાં
છુપેલો બ્રમ્હ છે આદિલ
ગિરીશ છે શબ્દનો આશિક
એ વારી જાય છે આદિલ
(આ શ્રેણી અંગે આપના વિચારો જણવા આતુર છું. ઈ-મેઈલઃ girish116@yahoo.com. અલબત્ત આ બ્લોગ પર પણ લખી શકો છો, અને મને એની કોપી જરૂર મોકલશો.)
–ગિરીશ પરીખ, મોડેસ્ટો, કેલિફોર્નિયા, નવેમ્બર ૧૨, ૨૦૦૯
Copyright (c) 2009 by Girish Parikh.
આદિલસાહેબને ભાવભીની સ્મરણાંજલિ. આભાર.
આદિલની ગઝલોનો આનંદઃ ૪
“લાગણીને આમ ના વિસ્તાર - વચ્ચે આવશે” — આદિલજીના ગઝલ સંગ્રહ “ગઝલના આયનાઘરમાં” ની આ ગઝલનો એક્કે એક શેર આધ્યાત્મિકતાનાં અજવાળાં પાથરે છે. એના બે શેર વિષે લખીશ. આ લખી રહ્યો છું ત્યારે આદિલજીએ ઓટોગ્રાફ કરેલ “ગઝલના આયનાઘરમાં” મારા ટેબલ પર છે.
આ ગઝલના આયનાઘરમાં કદમ મૂકો અને
ગૂર્જરી સોળે સજી શણગાર વચ્ચે આવશે
વાહ! કેટલો બધો પ્રેમ છે આદિલજીને ગૂર્જરી અને ગૂર્જરી ભાષા માટે. એમના ગઝલ સંગ્રહ “ગઝલના આયનાઘરમાં” આ શેર શિરમોર છે, અને એટલે તો એમણે ત્રીજા પાના પર જ્યાં પુસ્તકને અર્પણ કર્યું છે, અને જેમને અર્પણ કર્યું છે એમનાં નામો નીચે જ એ મૂક્યો છે.
પણ શાયર તો ગૂર્જરીને સ્ત્રીના સોળ શણગાર સજાવીને ગઝલના આયનાઘરમાં લાવવાની વાત કરે છે. પ્રશ્ન થાય કે આમાં આધ્યાત્મિકતા કઈ રીતે છે? મને આ શેરમાં મધુર ભાવનાં દર્શન થાય છે. આદિલજી ગૂર્જરી ભાષાના ઉપાસક છે, અને એને માતા ગણે છે. એમના માતા માટેના મધુર પ્રેમથી એ માને શણગારે છે. અને એને લાવે છે ગઝલના આયનાઘરમાં જ્યાં ગઝલની સાક્ષીએ મા અને બાળક એક બીજાને મન ભરીને જોઈ શકે.
અને સંસ્કાર મેળવવાનું મુખ્ય માધ્યમ માત્રુભાષા છે. સંસ્કાર માનવીને આધ્યાત્મિકતાનાં અજવાળાં તરફ લઈ જઈ શકે.
બીજા શેર વિષે “આદિલની ગઝલોનો આનંદઃ ૫” માં લખીશ.
એક ખાસ સૂચનાઃ બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં. નીચે મારાં અગાઉનાં લખાણોની લીંક આપી છે:
- - આદિલની ગઝલોનો આનંદઃ ૧ “માનવ ન થઈ શક્યો”
http://tahuko.com/?p=7135#comments
- - આદિલની ગઝલોનો આનંદઃ ૨ Adil Mansuri Passes Away (Tribute). Reveals that Adilji blessed Girish in a dream, and the latter started considering Adilji his ghazal-guru. Also includes English translation of the Krishna ghazal of Adilji. http://urmisaagar.com/saagar/?p=3729
- - આદિલની ગઝલોનો આનંદઃ ૩ “વતનની ધૂળના એક્કેક કણને સાચવજો” http://urmisaagar.com/saagar/?p=3729
- - હું માનું છું કે અશરફ ડબાવાલા ક્રુત Schizophrenia ગુજરાતી કાવ્યનો અંગ્રેજીમાં અનુવાદ પણ વાંચવો તમને ગમશે. http://tahuko.com/?p=1418
(આ શ્રેણી તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું.
ઈ-મેઈલઃ girish116@yahoo.com. અલબત્ત બ્લોગો/વેબ સાઈટો પર પણ લખી શકો છો, અને મને એની કોપી જરૂર મોકલશો.)
–ગિરીશ પરીખ, મોડેસ્ટો, કેલિફોર્નિયા, નવેમ્બર ૧૪ (મારો જન્મદિન), ૨૦૦૯
The original words of Girish in this post: Copyright (c) 2009 by Girish Parikh
આદિલની ગઝલોનો આનંદઃ ૫
“આ ગઝલ ’આદિલ’ હૃદય સોંસરવી ઊતરી જાય પણ
પંડિતોને પાઘડીનો ભાર વચ્ચે આવશે.”
હા, આ ગઝલ (આદિલજીના ગઝલ સંગ્રહ “ગઝલના આયનાઘરમાં”: લાગણીને આમ ના વિસ્તાર - વચ્ચે આવશે) — અને એનો અંતિમ શેર હૃદય સોંસરવાં ઊતરી જાય એવાં છે. આ શેરના હ્રદયમાં જતાં મને કેટલાક વિચારો આવ્યા. ટૂંકમાં એ રજૂ કરવા પ્રયત્ન કરું છું:
–કેટલાક પંડિતોનો અહંકાર આ ગઝલને એમના હૃદય સુધી પહોંચતાં રોકશે.
–માથાની પાઘડી એ જ્ઞાનનું પ્રતીક પણ ગણાય. હૃદય છે પ્રેમનું સ્થાનક. એ ભાવથી આ ગઝલનું વારંવાર મોટેથી પારાયણ (માત્ર પઠન નહીં) કરવાથી એ જરૂર હૃદય સોંસરવી ઊતરી જશે.
–આ શેરનું પારાયણ કરતાં કરતાં “આદિલની ગઝલોનો આનંદ” એ શ્રેણી હું શા માટે લખી રહ્યો છું એ પ્રશ્ન હું મારી જાતને પૂછી રહ્યો છું.
મને યાદ આવે છે મારી પ્રિય ફિલ્મ “સૂરસંગમ.” એક મહાન સંગીત શાસ્ત્રીની એ કથા છે. એક વખત એમનો પ્રિય શિષ્ય એમને રસ શું છે એવો પ્રશ્ન પૂછે છે. શાસ્ત્રીજી જવાબ આપે છે કે રસનો અનુભવ કરવાનો હોય, એનું વર્ણન ન થઈ શકે.
તો પછી આદિલજીની ગઝલોના આનંદને શબ્દોમાં વર્ણવવાની ચેષ્ટા હું શા મટે કરી રહ્યો છું?
હું કોઈ પંડિત નથી, અને ગઝલ-પુષ્પની પાંખડીઓ તોડી એમનું પ્રુથક્કરણ નહીં કરું. પણ આદિલની ગઝલોનો આનંદ જે મારા હ્રદયને ભરી દે છે એની ઝલક ગદ્યના આયનાઘરમાં લાવવા પ્રયત્ન કરીશ.
આદિલની ગઝલોનો હું આશિક છું, અને મારો નમ્ર આશય છે એમને જનતા જનાર્દનના હૃદય સુધી પહોંચાડવાનો. મારા હૃદયમાંથી આવે છે આ શ્રેણીનો એક્કે એક્ક શબ્દ. અને આદિલજીના આશિર્વાદથી અને પ્રભુક્રુપાથી આ શ્રેણીને વિશિષ્ટ રસથી (હા, રસથી) ભરી દેવા પ્રયત્ન કરીશ.
અને આ શ્રેણીને પોસ્ટ/પ્રગટ કરનાર સૌ કોઈને આંગળી ચીંધ્યાનું પુણ્ય મળશે.
એક ખાસ સૂચનાઃ બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં. મારાં અગાઉનાં લખાણોની લીંક મેળવવા girish116@yahoo.com સરનામે ઈ-મઈલ મોકલો. સબ્જેક્ટ લાઈનમાં લખોઃ “આદિલની ગઝલોનો આનંદ”ની લીંક.
(આ શ્રેણી તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું.
ઈ-મેઈલઃ girish116@yahoo.com. અલબત્ત બ્લોગો/વેબ સાઈટો પર પણ લખી શકો છો, અને મને એની કોપી જરૂર મોકલશો.)
–ગિરીશ પરીખ, મોડેસ્ટો, કેલિફોર્નિયા, નવેમ્બર ૧૬ , ૨૦૦૯
The original words of Girish in this post: Copyright (c) 2009 by Girish Parikh.
“આદિલની ગઝલોનો આનંદઃ ૫” માં “અને આ શ્રેણીને … ચીંધ્યાનું પુણ્ય મળશે”ની જગાએ નીચેનો પેરેગ્રાફ વાંચવા વિનંતીઃ
અને આ શ્રેણીને (ગિરીશે મોકલેલ હોય ત્યારે) પોસ્ટ/પ્રગટ કરનાર, અને લીંક મોકલનાર કે એમના બ્લોગ/વેબ સાઈટ પર આપનાર (જુઓ નીચેની સૂચના) સૌ કોઈને આંગળી ચીંધ્યાનું પુણ્ય મળશે.
આદિલની ગઝલોનો આનંદઃ ૬
જે કાંઈ દેખાઈ રહ્યું તે માયા છે; કેવળ માયા
આવું કહેવું પણ માયા છે; માયાને ઓળંગી જા
આદિલજીના ગઝલ સંગ્રહ “ગઝલના આયનાઘરમાં” “લખચોર્યાસી ઈચ્છાઓના ઢગલાને ઓળંગી જા” ગઝલના ઉપરના શેર વિષે હવે લખું:
સ્વામી વિવેકાનંદે માયા વિષે અદભૂત વ્યાખ્યાનો આપેલાં છે. સ્વામીજીનાં એ વ્યાખ્યાનોમાં (એમની અન્ય ક્રુતિઓની જેમ) ઉચ્ચ આધ્યાત્મિકતાની સાથે સાથે કાવ્ય-તત્વ પણ છે. મોટેથી વાંચશો તો ગદ્ય-લય તમને ભાવવીભોર કરી દેશે.
નારદજીએ માયા શું છે એ ક્રુષ્ણ ભગવાનને પ્રશ્ન પૂછ્યો ત્યારે ભગવાને ભણાવેલા પાઠની રોમાંચક કથા પણ સ્વામીજીએ એમની રસમય શૈલીમાં કહેલી.
(સ્વામીજીનાં આ વ્યાખ્યાનો, વગેરે ઈન્ટરનેટ પર અંગ્રેજીમાં ઓન લાઈન વાંચી શકાય છે. માહિતી મેળવવા મને લખો. એમનાં ગુજરાતીમાં ભાષાંતર પણ થયાં છે.)
પણ આ શેરની બીજી પંક્તિનું પઠન કરતાં મને યાદ આવ્યો સ્વામી વિવેકાનંદના જીવનનો એક માયાને લગતો પ્રસંગ:
અમેરીકાની પ્રખ્યાત હાર્વડ યુનીવર્સીટીમાં વેદાંત વિષે સ્વામી વિવેકાનંદે વ્યાખ્યાન આપ્યા પછી પ્રશ્નોત્તરી થઈ. માયાનું અસ્તિત્વ શા માટે છે એવો પ્રશ્ન સ્વામીજીને પૂછવામાં આવ્યો. એમના ઉત્તરનો અંશઃ આવો પ્રશ્ન માયામાં રહીને પૂછી શકાય. માયા (કારણ અને પરિણામ) ની સરહદની પલે પાર ગયા પછી એ ન પૂછી શકાય.
મારી દૃષ્ટિએ માયાની પેલે પાર ગયા પછી માયાનું અસ્તિત્વ શા માટે છે એવો પ્રશ્ન રહે ખરો?
આદિલજી પ્રથમ પંક્તિમાં કહે છે કે આપણે જે કાંઈ જોઈએ છીએ એ માયા જ છે. અને બીજી પંક્તિમાં આવું કહેવું એ પણ માયા જ એમ કહીને માયાને ઓળંગી જવાનું — માયાના અસ્તિત્વની પાર જવાનું — કહે છે. આદિલજીએ સ્વામીજી સાથે હાર્વડ યુનીવર્સીટીમાં થએલી પ્રશ્નોત્તરી વાંચેલી કે નહીં એની મને ખબર નથી, પણ શેરની બીજી પંક્તિમાં મને સ્વામીજીના ઉત્તરના અંશનો ભાસ થાય છે.
અલબત્ત આદિલજીની ઘણી ગઝલો આધ્યાત્મિકનાં અજવાળાં પણ પાથરે છે.
એક ખાસ સૂચનાઃ બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં. મારાં અગાઉનાં લખાણોની લીંક મેળવવા girish116@yahoo.com સરનામે ઈ-મેઈલ મોકલો. સબ્જેક્ટ લાઈનમાં લખોઃ “આદિલની ગઝલોનો આનંદ”ની લીંક.
(આ શ્રેણી તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું.
ઈ-મેઈલઃ girish116@yahoo.com. અલબત્ત બ્લોગો/વેબ સાઈટો પર પણ લખી શકો છો, અને મને એની કોપી જરૂર મોકલશો.)
–ગિરીશ પરીખ, મોડેસ્ટો, કેલિફોર્નિયા, નવેમ્બર ૧૭, ૨૦૦૯
The original words of Girish in this post: Copyright (c) 2009 by Girish Parikh.
કેમ છો દોસ્ત,
આમતો મારું નામ જીગ્નેશ છે પણ બ્લોગ અને ઓરકુટ ના માનવીઓ મને “માનવ” નામથી વધુ સારી રીતે ઓળખે છે. છેલછબીલો ગુજરાતી ગ્રુપ નો હું ઓનર છું.
ગુજરાત અને ગુજરાતી સાહીત્યમાં મને રસ છે. અને ગુજરાતી છું તેનો ગર્વ પણ. આમ તો પોતાના વખાણ કરવા ગમતા નથી. પણ હવે તો રોજ મળતા રહીશું એટલે
ઓળખાણ આપી રહ્યો છું.
આપનું કામ ખુ જ સરસ છે.
Very Good
“માનવ”
jigneshkparekh@gmail.com
+919979879875