
(ગલી ગલીમાં ફરી રહી છે મહેંક દિવાની… ફોટો: વેબ પરથી)
બધીયે અટકળોનો એવી રીતે અંત મળે,
કોઈ પરબીડિયામાં જે રીતે વસંત મળે.
સવારે બારી ખોલતાં જ થાય છે દર્શન,
મળે ગુલમ્હોર એ અદાથી જાણે સંત મળે.
અમે જે પાનખરોમાં વિખેરી નાંખેલી,
અતૃપ્ત ઝંખનાઓનો ફરીથી તંત મળે.
ગલી ગલીમાં ફરી રહી છે મહેંક દિવાની,
અને ગલીઓ બેઉ છેડેથી અનંત મળે.
કરે છે આગેકૂચ પુરબહારમાં ફૂલો,
નશીલી સાંજને કેવો વિજય જ્વલંત મળે!
વહે તો માત્ર ટહુકાઓ વહે કોયલના,
બધા કોલાહલો નગરના નાશવંત મળે.
- હિતેન આનંદપરા
(સૌજન્ય: વેબમહેફિલ.કોમ)
વસંત ક્યારેક ટેહૂક ટેહૂકની સવારી પર વાજતે ને ગાજતે આવે છે તો ક્યારેક કોઈ બંધ પરબિડીયામાં છાનીમાની પણ આવે છે. વિખરાઈ ગયેલી અતૃપ્ત ઝંખનાઓના ફરી મળવાની ઘટનાને પણ વસંત જ કહેવાય ને !








સુંદર ગઝલ…
પરબીડિયામાંથી વસંત મળવાવાળી વાતે ર.પા.ની ‘બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને’ની યાદ અપાવી દીધી…
સવારે બારી ખોલતાં જ થાય છે દર્શન,
મળે ગુલમ્હોર એ અદાથી જાણે સંત મળે.-
વસંતના આગમન ટાણે સંતના દર્શનની વાત કરીને કવિએ ખુબીથી કુદરતમાં જ ઈશ્વરને શોધવાની રીત સમજાવી છે.ખુબજ સરસ ગઝલ બદલ અભિનંદન.
-રાજેન્દ્ર નામજોશી - વૈશાલી વકીલ (સુરત )
બહુ સરસ-હિતેન આનંદપરા બહુ પ્રગતિશેીલ યુવાન કવિે છે-
ગલી ગલીમાં ફરી રહી છે,મહેક દિવાની,
અને ગલીઓ બેઉ છેડેથી અનંત મળે.
વાહ!!!ખૂબ સરસ શેર.
ગલિ ગલિમા ફરિ રહિ છે , જહેક દિવાનિ
અને ગલિઓ બેઉ છેડેથિ અનત મળે
બહુજ સુન્દર ગિત પેશ કર્યુ છે…આભાર્
ચન્દ્રા
ખૂબ સુંદર ગઝલ!
સુધીર પટેલ.
abhinandan…..sundar geet