૨૧મી જૂલાઈનાં દિવસે ગુજરાતી સાહિત્યનાં ધૂરંધર શ્રી ઉમાશંકર જોષીનો જન્મદિવસ હતો અને એ જ દિવસે ગુજરાતી સંગીતનાં પાયાસમાન શ્રી અવિનાશભાઈનો પણ જન્મદિવસ હતો… તો આજે એમને યાદ કરીને આપણે માણીએ, ખૂબ જ જાણીતું અને મને ખૂબ જ ગમતું એક ગીત…

(આવો તમે તો મન ટહુકે આનંદમાં… ફોટો : વેબ પરથી)
સંગીત : અવિનાશ વ્યાસ
સ્વર : સોલી કાપડિયા
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
કોકવાર આવતા ને જાતા મળો છો એમ મળતા રહો તો ઘણુ સારું.
હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણું સારું.
પૂનમનો ચાંદ જ્યા ઊગે આકાશમાં ત્યાં ઉછળે છે સાગરના નીર,
મારું એ ઉર હવે ઉછળવા ચાહે એવું બન્યું છે આજ તો અધીર;
સાગરને તીર તમે આવોને ચાંદ શા ખીલી રહો તો ઘણું સારું,
હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણું સારું.
મારી છે કુંજ કુંજ વાસંતી વાયરે કોયલ કરે છે ટહુકારો,
આવો તમે તો મન ટહુકે આનંદમાં, ખીલી ઉઠે આ બાગ મારો;
શાને સતાવો ? મારી ઉરની સિતારના તારો છેડો તો ઘણું સારું,
હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણું સારું.
કોકવાર આવતા ને જાતા મળો છો એમ મળતા રહો તો ઘણું સારું,
હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણું સારું.
- મહેશ શાહ















